મૃતદેહના નાક અને કાનમાં કેમ નાખવામાં આવે છે રુ?
તમે મૃત્યુ પછી નાક અને કાનમાં રુ નાખતા પણ જોયા હશે.
તેની પાછળ વૈજ્ઞાનિક તથ્યોની સાથે સાથે પૌરાણિક માન્યતાઓ પણ છે.
નાક અને કાનમાંથી હવા પેટમાં જાય છે, જેના કારણે શબ વિકૃત થવાનો ભય રહે છે.
બીજું, સૂક્ષ્મજીવાણુઓને શરીરમાં પ્રવેશતા અટકાવવા માટે રુ લગાવવામાં આવે છે.
મૃત શરીરના નાકમાંથી પ્રવાહી નીકળે છે, તેને રોકવા માટે રુ લગાવવામાં આવે છે.
પ્રવાહી આજુબાજુના લોકોમાં ચેપ ફેલાવવાનો ભય છે, તેથી રુનો ઉપયોગ કરવામાં આવે છે.
મૃતદેહના નાક અને કાનમાં રુ નાખવાનું ધાર્મિક કારણ પણ ખૂબ મહત્વનું છે.
ગરુડ પુરાણ અનુસાર આ અંગોમાં સોનાના ટુકડા રાખવામાં આવે છે.
સોનાના ટુકડા નીચે ન પડે તેથી નાક અને કાનમાં રુ મૂકવામાં આવે છે.