જ્યોતિષ મુજબ, સ્વસ્તિકનું ચિન્હ ભાગ્યોદય કરાવી શકે છે. હળદરથી આ ચિન્હને ઘરના મુખ્ય દ્વાર પર પૂજા ઘરમાં બનાવવાથી સુખ સમૃદ્ધિનો વાસ થાય છે અને અન્ય લાભ પણ મળે છે. એના અન્ય ઘણા લાભ છે.
મુખ્ય દ્વાર પર હળદરનું સ્વસ્તિક બનાવવાથી રોગ દોષમાંથી મુક્તિ મળે છે. જો તમારા ઘરમાં લોકો બીમાર રહે છે તો, મુખ્ય દરવાજા પર હળદરનો સ્વસ્તિક જરૂર બનાવો.
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે મુખ્ય દ્વાર પર સ્વસ્તિકનું ચિન્હ બનાવવાથી સારી ઉર્જાનો પ્રવેશ થાય છે. એને બનાવવાથી નકારાત્મકતા નષ્ટ થાય છે.